પાર્થને કહો ચડાવે બાણ -Nanalal Dalpatram Kavi's image
701K

પાર્થને કહો ચડાવે બાણ -Nanalal Dalpatram Kavi

પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ કહો, કુંતાની છે એ આણ, પાર્થને કહો ચડાવે બાણ ભીખ્યાં, ભટક્યાં, વિષ્ટિ, વિનવણી કીધાં સુજનનાં કર્મ આર્યસુજનતા દૈન્ય ગણી તો યુદ્ધ એ જ યુગધર્મ સજીવન થાય પડ્યાયે પ્હાણ … પાર્થને કહો ચડાવે બાણ દ્રૌપદીની હજી વેણ છૂટી છે રાજસભાના બોલ રણનોતરાંના ઉત્તર દેજો રણધીરને રણઢોલ પાર્થની પ્રત્યંચાને વાણ
Read More! Earn More! Learn More!